
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને સોશિયલ મીડિયા પર કહ્યું છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ને થયેલા અકસ્માતની ઘટનાને લઈ અમે ખૂબ જ દુઃખી છીએ.
Ahmedabad Plane Crash: ટાટા ગ્રુપે અમદાવાદમાં એર ઇન્ડિયા AI171 દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે રૂપિયા 1 કરોડ વળતર આપવાની જાહેરાત કરી છે.ટાટા ગ્રુપે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ખાતરી આપી છે કે તે ભોગ બનેલાઓને સતત સપોર્ટ આપશે.
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને સોશિયલ મીડિયા પર કહ્યું છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ને થયેલા અકસ્માતની ઘટનાને લઈ અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમની સાથે છે.
ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપશે. અમે ઈજાગ્રસ્તોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમની તમામ જરૂરી સંભાળ અને સહાય મળી રહે. આ ઉપરાંત અમે બી જે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સંપૂર્ણ સહાય પૂરી પાડીશું.આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.